PM Vishwakarma Yojana 2024 : નમસ્તે મિત્રો, આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા તેમના જન્મદિવસ પર 17 સપ્ટેમ્બર 2023 ના દિવસે વિશ્વકર્મા જયંતી પર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાના માધ્યમથી સરકાર વિશ્વકર્મા સમુદાયના નાગરિકોને તેમની કલાને આગળ વધારવા માટે યોગદાન આપે છે. જો તમે પણ પીએમ વિશ્વકર્મા યોજના નો લાભ મેળવવા ઈચ્છો છો તો આજના આ અમારા લેખને અંત સુધી વાંચો જેમાં અમે તમને યોજના વિશેની તમામ માહિતી આપીશું.
આ યોજનામાં વિશ્વકર્મા સમુદાય સંબંધીત લોકોને પોતાના કાર્યક્રમ માટે ₹15,000 સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે. અને તેની સાથે આ યોજનામાં સમુદાય સાથે જોડાયેલા વ્યક્તિઓને રોજે રોજ ટ્રેનિંગ દ્વારા ₹500 ની રકમ પણ આપવામાં આવે છે. દેશના જુદા જુદા વિસ્તારોમાં રોજગારના અવસરને વધારવા તેમજ વિશ્વકર્મા સમુદાયના લોકોને આત્મા નિર્બળ બનાવવા માટે અને તેમનો બેરોજગારીનો દર ઓછો કરવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે.
Contents
પીએમ વિશ્વકર્મા યોજના 2024 | PM Vishwakarma Yojana 2024
મિત્રો સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશ્વકર્મા જયંતીના દિવસે વિશ્વકર્મા સમુદાય ના નાના નાના કાર્યકર્તાઓને અને કુશળતા ધરાવતા નાગરિકોને ટ્રેનિંગ આપવા અને તેમની કુશળતાને આગળ વધારવા માટે અને અત્યારના સમયની આધુનિક ટેકનોલોજી ના જ્ઞાન સાથે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સહાયતા આપવામાં આવે છે. આ યોજનાના માધ્યમથી લાભાર્થી વ્યક્તિને ₹15,000 સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે. જે લુહાર ધાતુ સાથે કાર્ય કરે છે તેવા વિશ્વકર્મા સમુદાયના તમામ નાગરિકોને તે કુશળ કારીગરને ટ્રેનિંગ આપી દે આ યોજના હેઠળ સહાયતા કરવામાં આવે છે.
યોજના | પીએમ વિશ્વકર્મા યોજના |
યોજનાની શરૂઆત | 17 સપ્ટેમ્બર 2023 |
યોજનાનો ઉદ્દેશ્ય | વિશ્વકર્મા સમુદાયના નાગરિકોને આત્મનિર્ભર બનાવવા |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://pmvishwakarma.gov.in/ |
પીએમ વિશ્વકર્મા યોજના નો ઉદ્દેશ્ય
વિશ્વકર્મા સમુદાયના કારીગરોને આર્થિક સહાયતા કરવાના ઉદેશ્યથી વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. જેમાં તમામ કારીગરોને રૂપિયા 15,000 સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે. અને તેની સાથે તે તમામ કારીગરો વ્યક્તિઓને 5 ટકા સુધીના વ્યાજ દર પર રૂપિયા 3 લાખ સુધીની લોન પણ આપવામાં આવે છે. જેનો ઉપયોગ કરીને તે તમામ કારીગરો પોતાના વ્યવસાયમાં આગળ વધી આત્મનિર્ભર બની શકે.
પીએમ વિશ્વકર્મા યોજનામાં મળતા લાભ
- વિશ્વકર્મા સમુદાયના કારીગરોને માસિક રૂપિયા 500 ની આર્થિક સહાય કરવામાં આવે છે.
- કુંભાર, નાઈ, લુહાર,માછલી પકડવા વાળા, ધોબી, મોચી,દરજી વગેરે તમામ કારીગર યોજનાનો લાભ લઇ શકે છે.
- કારીગરોને ₹3,00,000 સુધીની લોન પણ આપવામાં આવે છે.
- કામદાર વ્યક્તિને ટ્રેનિંગ સર્ટિફિકેટ અને આઈડી પણ આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ કામદાર વ્યક્તિને માર્કેટિંગ સપોર્ટ પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો:Vrudh Pension Yojana 2024: વૃદ્ધ અને દિવ્યાંગોને મળશે 1000 થી 1250 રૂપિયા પેન્શન
યોજનામાં અરજી કરવા જરૂરી દસ્તાવેજ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- જાતિનો દાખલો
- બેન્ક પાસબુક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- ઇમેલ આઇડી
- મોબાઈલ નંબર
પીએમ વિશ્વકર્મા યોજનામાં ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા | PM Vishwakarma Yojana 2024
- આ યોજનામાં ઓનલાઈન માધ્યમમાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે વિશ્વકર્મા પોર્ટલ પર જવાનું રહેશે.
- હોમ પેજ How to Register નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
- હવે અહીં રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને તેની સાથે આધારકાર્ડ નંબર દાખલ કરો.
- હવે તમારે વેરિફિકેશન ના બટન પર ક્લિક કરવાનું રહેશે. તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે.
- હવે તમારે આ ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી સાચી રીતે ભરવાની રહેશે.
- તમારે અહીં માંગવામાં આવેલા જરૂરી તમામ દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
- આ તમામ પ્રક્રિયા થઈ ગયા પછી છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
નિષ્કર્ષ | conclusion
મિત્રો ઉપર જણાવેલ લેખમાં અમે તમને પીએમ વિશ્વકર્મા યોજના વિશેની તમામ માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. તેની સાથે તમે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો તેના વિશેની પણ માહિતી આપી છે. તમે આ અરજી કરવાની પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ અનુસરીને યોજનાનો લાભ લઈ શકો છો.