Janani Suraksha Yojana 2024: નમસ્તે મિત્રો, આપણી ભારત સરકાર દ્વારા મહિલાઓ અને નવજાત શિશુઓની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે જનની સુરક્ષા યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે. સરકારનની આ યોજનામાં જ્યારે ગર્ભવતી મહિલાની ડિલિવરી થાય છે તેવી સ્થિતિમાં તેમના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 6,000 ની રાશિ ટ્રાન્સફર કરી સહાય કરવામાં આવે છે. જેના કારણે ગરીબ અને ગર્ભવતી મહિલાઓનું સ્વાસ્થ્ય સચવાઈ રહે. અને બાળકના જન્મ સમયે માતા અને નવજાત જન્મેલા બાળકના મૃત્યુદરમાં ઘટાડો થઈ શકે. જનની સુરક્ષા નો લાભ કેવી રીતે મેળવવો તે જાણવા માટે આજનો લેખ વાંચો.
Contents
- 1 જનની સુરક્ષા યોજના 2024 | Janani Suraksha Yojana 2024
- 2 જનની સુરક્ષા યોજનામાં મળતા લાભ અને વિશેષતાઓ | Janani Suraksha Yojana 2024
- 3 જનની સુરક્ષા યોજના માટે પાત્રતા
- 4 અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ
- 5 જનની સુરક્ષા યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ ? । Janani Suraksha Yojana 2024
- 6 નિષ્કર્ષ | conclusion
જનની સુરક્ષા યોજના 2024 | Janani Suraksha Yojana 2024
આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જનની સુરક્ષા યોજના ની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી સરકાર દ્વારા દેશમાં રહેતી ગરીબ અને ગર્ભવતી મહિલાઓની ડીલીવરીના સમયે આર્થિક સહાય કરવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વાર્થ મિશન હેઠળ જનની સુરક્ષા યોજના ચલાવવામાં આવે છે જેમાં ગરીબ પરિવારની મહિલાઓને ગર્ભવસ્થા દરમિયાન પોતાના બાળકોનું ધ્યાન રાખવા માટે મફતમાં સુવિધા આપવામાં આવે છે. જેમાં તેમને સરકાર દ્વારા રૂપિયા 6,000 ની આર્થિક સહાય કરવામાં આવે છે જે તેમના બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.
યોજનાનું નામ | જનની સુરક્ષા યોજના |
વિભાગ | રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન |
લાભાર્થી | ગર્ભવતી મહિલાઓ |
યોજનાનો ઉદ્દેશ્ય | ગરીબ પરિવારની મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન પોતાના બાળકની દેખભાળ કરવા આર્થિક સહાય આપવા |
સહાયની રકમ | રૂપિયા 6000 |
સત્તાવાર વેબસાઈટ | https://nhm.gov.in/ |
જનની સુરક્ષા યોજનામાં મળતા લાભ અને વિશેષતાઓ | Janani Suraksha Yojana 2024
- સરકાર દ્વારા જનની સુરક્ષા યોજના માધ્યમથી દેશના તમામ રાજ્યો તેમ જ કેન્દ્રશાસિત વિસ્તારોમાં ગરીબ પરિવારની મહિલાઓને લાભ આપવામાં આવે છે.
- આ યોજનાના માધ્યમથી મહિલાઓને રૂપિયા 6,000 ની હાર્દિક સહાય કરવામાં આવે છે જે તેમના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.
- યોજનાનો લાભ લેવા માટે ગર્ભવતી મહિલા ને પોતાની પ્રસુતિ અને પોતાના બાળકના જન્મ માટે કોઈ સરકારી હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.
- જનની સુરક્ષા યોજના એ ગર્ભવતી મહિલાઓ તેમજ નવજાત શિશુની સ્વાસ્થ્ય સ્થિતિ સુધારવામાં મદદ કરે છે.
- આ યોજનાનો લાભ લેવા માટે દરેક મહિલા પાસે એમસીએચ કાર્ડ અને જનની સુરક્ષા યોજના કાર્ડ હોવું જોઈએ.
- યોજનાનો લાભ મેળવવા માટે દરેક મહિલાએ પોતાની નજીકની આંગણવાડી કેન્દ્ર સાથે જોડાયેલ હોવુ જરૂરી છે.
- સરકાર દ્વારા આ યોજના માટે પ્રતિ વર્ષ ₹16,000 કરોડનો ખર્ચ કરવામાં આવે છે.
જનની સુરક્ષા યોજના માટે પાત્રતા
- આ યોજનાનો લાભ લેવા માટે દેશની ગરીબી રેખા નીચે જીવન જીવતી પરિવારની મહિલાઓ પાત્રતા ધરાવે છે.
- અરજી કરવા માટે ગર્ભવતી મહિલાની ઉંમર 19 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ.
- જે ગરબા વતી મહિલાઓની પ્રસુતિ સરકારી હોસ્પિટલ અથવા તો ઘરે થાય છે તેવી મહિલાઓ આ યોજના માટે પાત્રતા ધરાવે છે.
- અરજી કરનાર મહિલાઓને યોજનાનો લાભ લેવા માટે સરકારી હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
- આ જનની સુરક્ષા નો ના તો ફક્ત પહેલા બે બાળકો સુધી જ પર્યાપ્ત છે.
આ પણ વાંચો: Smart Ration card: સ્માર્ટ રેશનકાર્ડ 2024, અહિ જાણો પાત્રતા, જરૂરી દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ
- આધારકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- બીપીએલ રેશનકાર્ડ
- બેંક પાસબુક
- જનની સુરક્ષા કાર્ડ
- સરકારી હોસ્પિટલ દ્વારા મેળવેલ સર્ટિફિકેટ
- મોબાઈલ નંબર
- પાસવર્ડ સાઈઝ ફોટો
જનની સુરક્ષા યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ ? । Janani Suraksha Yojana 2024
- જનની સુરક્ષા યોજનાનો લાભ લેવા તેમાં અરજી કરવા સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
- હવે તમારી સામે વેબસાઈટ નું હોમ પેજ ખૂલી જશે જેમાં જનની સુરક્ષા એપ્લિકેશન ફોર્મ આપેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલ જશે તેની પીડીએફ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ પણ કાઢી લો.
- હવે આ એપ્લિકેશન ફોર્મમા માહિતી ભરવાની રહેશે. જેમકે મહિલાનું નામ તેમનું સરનામું બાળકની જન્મ તારીખ વગેરે.
- તમામ માહિતી ભરાઈ ગયા પછી તમારે દસ્તાવેજો એ ફોટો કોપી એપ્લિકેશન ફોર્મ સાથે અટેચ કરવાની રહેશે.
- હવે તમારે આ અરજી ફોર્મ પોતાના નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા મહિલા સ્વાસ્થ્ય કેન્દ્રમાં જમા કરાવવાનું રહેશે.
નિષ્કર્ષ | conclusion
મિત્રો આજના આ લેખમાં અમે તમને સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે સહાય કરવા ચલાવવામાં આવતી જનની સુરક્ષા યોજના વિશે માહિતી આપી છે. આ યોજના હેઠળ મહિલાઓને ₹6,000 ની આર્દિક સહાય કરવામાં આવી છે. યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા અમે તમને જણાવેલી છે. જે અનુસરી તમે લાભ લઈ શકો છો.